Skip to main content

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શ...

શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ : ડૉ.વર્ષાબહેન પટેલ.

  

દીકરા કાવ્ય સાથે ડૉ. વર્ષાબેન પટેલ

દક્ષિણ ગુજરાતમાં ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર. વર્ષોથી વિકાસ, પ્રગતિ, ઉત્કર્ષની પ્રતિક્ષા કરતો પંથક. પ્રકૃતિ મન મૂકીને અહીં વરસી છે. લીલોતરીને હરિયાળી જોઈને આંખો જ નહીં, હૈયું પણ કરે. જોકે અહીં રહેલાં ભલ-ભોળાં સ્ત્રી-પુરુષોની સ્થિતિ ચિંતા ને ચિંતન કરાવે. નિયતિ કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તું ગરીબો સાથે કેમ ક્રૂરતાથી વર્તે છે?

આવી વિકટ, પડકારોથી ભરેલી સ્થિતિમાંથ કેટલીક આદિવાસી યુવતીઓ પોતાના જીવનની એવી સરસ ગૂંથણી કરે કે સલામ મારવાનું મન થાય.

એવાં જ છે એક વર્ષાબહેન પટેલ.

વર્ષાબહેન પટેલ શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ,

ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલમાં તેઓ આચાર્યા તરીકે ફરજ બજાવે છે. તેમનું જીવન જેટલું પ્રેરક છે, તેટલું જ રસપ્રદ છે. આદિવાસી સમાજની એક છોકરી ભણવામાં તેજસ્વી અને ગંભીર હોય તો કેવું સુંદર પરિણામ લાવે તે તેમના જીવન અને કવનમાંથી જોવા મળે.

તેમનું વતન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ભીનાર નામનું નાનકડું ગામ. માતા લલિતાબહેન અને પિતા બાલુભાઈ. પિતાને સાઇકલનું સમારકામ કરવાની દુકાન. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો પરિવાર. માતા ગૃહિણી તેમને ત્રણ સંતાનો. વર્ષાબહેનનાં મોટાં બહેન ચંદનબહેન પણ અંગ્રેજી વિષય સાથે એમ.એ.બી.એડ. કરીને શિક્ષિકા બન્યાં. ભૂપેશભાઈ એલઆઇસી ડેવલપમેન્ટ ઓફિસર બન્યા. આ કથાના નાયિકા વર્ષાબહેન નાનાં હતાં ત્યારથી જ ભણવામાં તેજસ્વી હતાં. તેમણે દસમા ધોરણ સુધીનું શિક્ષણ પોતાના ગામમાં જ મેળવ્યું. ધોરણ ૧૦માં તેઓ ૮૨ ટકા સાથે પાસ થયાં. તેમના કેન્દ્રમાં પહેલો નંબર આવેલાં અને રાજ્યમાં પણ એસટીમાં ત્રીજો નંબર લાવેલાં, શિક્ષકોએ તેમને આગ્રહ કરેલો કે તમે વિજ્ઞાન પ્રવાહ લો અને ડૉક્ટર બનો. માતા-પિતા ચિંતામાં હતાં, કારણ કે દીકરીને આગળ ભણાવવા પૈસા જોઈએ, જે તેમની પાસે નહોતા. નજીકનાં સગા- સંબંધી પણ સહયોગ કરવાને બદલે તેમને ચેતવતાં હતાં કે પછી તમે ભણાવી નહીં શકો તો હેરાન થશો. માતા-પિતાએ નક્કી કર્યું કે દીકરીને ભણાવવી તો છે જ. પિતાએ દીકરીને કહ્યું કે તું ભણવામાં તેજસ્વી છે, ડૉક્ટર કે એન્જિનિયર બની શકે તેમ છે, આપણી પાસે પૈસા નથી તો તું પીટીસી કરી નાખ. દીકરીએ તરત હા પાડી. અને આમેય દીકરીઓ મોટા ભાગે * ડાહી જ હોય છે. માતા-પિતાની સ્થિતિ સમજનારી અને તેમનું કહ્યું કરનારી.

પૂરી ક્ષમતા હોવા છતાં પણ વર્ષાબહેન વિજ્ઞાન પ્રવાહમાં આગળ ના વધી શક્યાં. વ્યારા તાલુકામાં આવેલા કસ્તુરભા અધ્યાપન મંદિરમાંથી તેમણે ૧૯૯૭માં પીટીસી પૂર્ણ કર્યું. તેમને સતત ભણવાનું ગમે છે. બહારના વિદ્યાર્થી તરીકે તેમણે ધોરણ ૧૨ની પરીક્ષા આપી અને તેમાં રાજ્યમાં એસટીમાં પ્રથમ નંબરે આવ્યાં હતાં. ભણાવતાં ભણાવતાં ભણ્યાં તો પણ રાજ્યમાં ઝળક્યાં. સરસ્વતીમાતાનાં સાચાં સાધક અને ઉપાસક.

તેમના પિતા બાલુભાઈ એ દિવસોને યાદ કરતાં કહે છે કે અમે નક્કી કર્યું હતું કે ત્રણેય સંતાનોને ગમે તેમ કરીને ભણાવવાં જ છે. કોઈ સહયોગ કરે કે ના કરે, પણ અમે મક્કમ હતાં. વર્ષાને તો ખૂબ ભણવું હતું. એ ડૉક્ટર બની શકત, પણ એ શક્ય ના બન્યું. આજે તે શિક્ષિકા છે. અમારું નામ તેણે રોશન કર્યું છે. અનેક લોકોનાં ભાવિ તેણે સુધાર્યા છે તેનું અમને ગૌરવ છે. એ ઉચ્ચ સંસ્કારો સાથે જીવન જીવે છે. પોતાના પરિવારના સભ્યોના જન્મદિવસે અંગત રીતે ૧૦૦૦-૨૦૦૦ રૂપિયા ખર્ચવાને બદલે ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરે છે. આ જાણીને મને હરખનાં આંસુ આવે છે. માતા લલિતાબહેન પણ આ વાતોમાં પોતાનો સૂર પુરાવે છે. વર્ષાબહેન કહે છે કે અમને ત્રણેય સંતાનોને ભણાવવામાં માતા-પિતાએ ખૂબ જ ભોગ આપ્યો છે. અમારી ખૂબ કાળજી રાખી. પેટે પાટા બાંધીને અમને ભણાવ્યાં. પોતે હેરાન-પરેશાન થયાં પણ અમને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખ્યું. હું તો શિક્ષિત મા બની, પણ મારાં માતાની ભૂમિકા યાદ કરું તો થાય કે મેં તો કશું જ નથી કર્યું. એક સન્માન વખતે મારા બૃહદ પરિવારનું સન્માન થયું ત્યારે મને થોડો પરિતોષ થયો કારણ કે મારી યોગ્યતામાં તેમનું જ મોટું પ્રદાન.

વર્ષાબહેનના ઘરની સ્થિતિ મધ્યમ. તેમણે ભણતાં ભણતાં ઘરનું, ખેતીનું બધું કામ કર્યું. ખેતીનું દરેક કામ આજે પણ આવડે. કોઈ કામમાં નાનમ નહીં. આજુબાજુમાં મગફળી વીણવા જવાનું, નર્સરીમાં કામ કરી શાળાની જરૂરી વસ્તુ જાતે કમાઈ લેવાનો આનંદ પણ તેમણે લીધો હતો.

જાન્યુઆરી, ૧૯૯૮માં વર્ષાબહેનને શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ. તેમણે અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું. એ પછી તો બી.એડ. અને એમ.એડ. પણ કર્યું. પ્રાથમિક શિક્ષક તરીકે તેમણે લગભગ ૧૨- ૧૩ વર્ષ કામ કર્યું. એ પછી વલસાડના જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં તેઓ અંગ્રેજી વિષયનાં વ્યાખ્યાતાં થયાં. દરમિયાન તેમણે જીપીએસસીની વર્ગ-બેની પરીક્ષા

પાસ કરી. સારી રીતે હોં. લો, ત્યારે વર્ષાબહેન ગેઝેટેડ ઓફિસર બની ગયાં.

અત્યારે તેઓ માલનપાડામાં આવેલી મોડેલ સ્કૂલમાં આચાર્યા તરીકે યશસ્વી રીતે અને વિદ્યાર્થીઓ માટેની પાકી પ્રીતે કામ કરી રહ્યાં છે. લગભગ ત્રણ દાયકાથી તેઓ શિક્ષક અને આચાર્યા તરીકે ફરજ નિષ્ઠ છે.

તેઓ નમ્રતા સાથે કહે છે કે મારી આ યાત્રામાં માતા-પિતા, શિક્ષકો, મોટાંબહેન, ખાસ મારા જીજાજી વિનયભાઈ પટેલના પ્રોત્સાહન અને હૂંફનો મોટો ફાળો છે. વર્ષાબહેનના જીજાજી બેન્ક ઓફિસર છે. વર્ષાબહેન હૃદયથી શિક્ષિકા છે. તેમના હાથ નીચે-હૃદય સાથે ત્રણેક દાયકામાં અત્યાર સુધી ૪૦૦૦- ૫૦૦૦ વિદ્યાર્થીઓ ભણ્યા છે. કોકિલાબહેન ભીખુભાઈ વ્યાસનાં આ વિદ્યાર્થીની પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રસ લે, એટલું જ નહીં, તેમના વ્યક્તિગત પ્રશ્નોને ઉકેલવામાં પણ મદદ કરે. આર્થિક લાભોને જતા કરીને પણ વર્ષાબહેને વર્ગને પકડી રાખ્યો છે. તેઓ કહે છે કે વિદ્યાર્થીઓને ભણાવવામાં મને જે સંતોષ મળે છે તે બીજે કર્યાય મળતો નથી. તેઓ ઉમેરે છે કે શિક્ષક તરીકે હું જ્યારે વર્ગમાં જાઉં છું ત્યારે મને ખૂબ સારું લાગે છે. મારા વિદ્યાર્થીઓનો મને જે પ્રેમ મળે છે એ મને સતત કામ કરતી રાખે છે. ગુરુપૂર્ણિમાએ પૂર્વ વિદ્યાર્થીઓના આવતા ફોન મને સંતોષ આપે છે. કોઈ વિદ્યાર્થી ભણી-ગણીને આખા પરિવારનો ઉત્કર્ષ કરવામાં સફળ થાય ત્યારે મને થાય કે જે વાવ્યું હતું તે ઊગી રહ્યું છે.

વર્ષાબહેન ઘણા વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વિશે તેઓ સોશિયલ મિડીયામાં લખતાં રહ્યાં છે. જરૂરિયાતમંદોને તેઓ પહેલાં જાતે મદદ કરે અને પછી સમાજ પાસેથી પણ કરાવે.

ધરમપુર જેવા વિસ્તારામાં આદિવાસી માતા- પિતાઓને શિક્ષણ માટે તૈયાર કરવાં, પૈસાના અભાવે શિક્ષણની જ્યોતને પ્રજ્વલિત રાખવી, વ્યસનો-દૂષણોના વાતાવરણમાં વિદ્યાનું વાતાવરણ સ્થાયી કરવું, સ્ત્રીઓ માટેની રૂઢિગત માન્યતાઓને અતિક્રમીને કામ કરવું... આ બધા એવા કોઠા કે જેને ભેદવા સહેજે સહેલા નથી. જોકે વર્ષાબહેનના હૃદયમાં પોતાનાં ભાઈ-બહેનો માટે, આદિવાસીઓના ઉત્કર્ષ માટે હૃદયમાં એવી આગ છે, કે તેઓ થાક્યા વિના સતત કામ કર્યા જ કરે છે. તેઓ કહે છે કે મને એમ લાગે છે કે મારો જન્મ

કંઈક વિશેષ કરવા થયો છે. તેઓ નાનાં હતાં ત્યારે ગંભીર બીમાર પડેલાં જીવશે તેવું લાગતું જ નહોતું. બચી ગયાં. એક વખત રોડ અકસ્માતમાં અડધો કિ.મી. ઢસડાયાં બચી ગયાં. કદાચ ઈશ્વર તેમની પાસે કોઈ મોટું કામ કરાવવા ઈચ્છે છે.

તેમની વાતમાં તથ્ય છે. એટલે તો નિયંતિએ તેમને શિક્ષિકા બનાવ્યાં, જેથી લોકશિક્ષક બનીને તેઓ આ વિસ્તારનો કાયાકલ્પ કરી શકે.

વર્ષાબહેનના જીવનના ઘણા બધા રંગ છે. એક રંગ છે તેમના જીવનસાથી મોહનભાઈ પટેલના સહયોગનો. તેઓ પરણ્યાં પછી તો બે બાળકો (કાવ્યા અને જન)નાં માતા પણ બન્યાં, પરંતુ તેમના પતિએ વર્ષાબહેનને આગ્રહપૂર્વક ખૂબ ભણાવ્યાં. વર્ષાબહેન કહે છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ મારી બાબતમાં ઊંધું થયું છે. મારી સફળતા પાછળ મારા પતિનો હાથ છે. મોહનભાઈ પટેલ કહે છે કે હું બહુ ભણી ન શક્યો અને વર્ષા ભણી શકે એમ હતાં એટલે મને થયું કે મારે તેમને ભણાવવાં જ જોઈએ. મને ખૂબ આનંદ છે કે તેઓ આટલું ભણ્યાં અને સમાજ માટે સરસ કામ કરી રહ્યાં છે. તેઓ એમ પણ કહે છે કે જ્યારે જ્યારે જીવનમાં તક મળે તે ઝડપી જ લેવી જોઈએ. તેમને ભણાવવા માટેની તક મને મળી તો મેં તેને ઝડપી લીધી.

પીટીસી કરીને શિક્ષક બની ગયા પછી વ્યક્તિ મોટાભાગે અટકી જાય. નોકરી મળી ગઈ હવે ભણીને શું કરવાનું તેમ વિચારે, પણ વર્ષાબહેન તો છેક પીએચ.ડી. સુધી પહોંચ્યાં. ‘ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોનું કન્યા કેળવણીમાં પ્રદાન' એ વિષય પર તેમણે ડૉ. કિશોર નાયકના માર્ગદર્શનમાં સંશોધન કરીને મહાનિબંધ લખ્યો છે. જો તેમનું પુસ્તક થાય તો ગુજરાતના કેળવણી વિશ્વને તેનો ફાયદો થાય.

અમે પૂછીએ છીએ કે ધરમપુર વિસ્તારમાં આદિવાસી સમુદાયમાં કયા પ્રશ્નો છે ? તો તેઓ કહે છે કે કુપોષણ, ગરીબી, વ્યસનો, બેરોજગારી સહિત ઘણા પ્રશ્નો છે. આ વિસ્તારમાં વિકાસનો દર ઘણો નીચો છે અને પરિવર્તનો ખૂબ ધીમાં થઈ રહ્યાં છે. તેઓ દૃઢતાથી કહે છે કે જો ઉત્કર્ષ કરવો હશે તો શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. તેઓ કહે છે કે યુવાનો વ્યસનો તરફ વધી રહ્યા છે, મોબાઈલ ફોન સૌથી મોટું અને જોખમી વ્યસન બની ગયું છે.મોબાઇલ ફોનને કારણે જનરેશન ગેપ ઘણો વધી ગયો હોવાથી માતા-પિતા અને યુવાનો અને બાળકો વચ્ચે સંવાદ જ નથી થતો. ખાસ કરીને બાળકો અને યુવાનો પોતાના જીવન અને જીવનના ધ્યેય માટે ગંભીર નથી. આ મોટામાં મોટો પ્રશ્ન છે. તેઓ કહે છે કે આ વિસ્તારનાં માતા-પિતા અને બાળકો-યુવાનોમાં કાઉન્સિલિંગની ખૂબ જરૂર છે. વર્ષાબહેન પોતે ખૂબ ગંભીરતાથી વર્ષોથી આ પ્રકારનું કઉન્સેલિંગ કરતાં જ રહ્યા છે.

વર્ષાબહેનને લખવાનું ગમે છે. સમય ઓછો મળે છે એટલે ખાસ લખાતું નથી, પણ કવિતાઓ, ચર્ચાપત્રો, નિબંધો આ બધાંમાં હાથ અજમાવતાં રહે છે. હું ધરમપુર છું. તેમનું આ કાવ્ય ખૂબ જાણીતું થયું છે. તેમને સંગીતનો પણ શોખ છે. શાળા- કૉલેજકાળમાં તો તેમને ઘણાં ઈનામો પણ મળ્યાં હતાં. તેઓ ઉત્તમ વક્તા છે. અભિવ્યક્તિ કરવાનું ગમે. ઍન્કરિંગ પણ કરે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે. ચિત્રકામ કરે છે. પ્રકૃતિ ખૂબ ગમે છે. પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સતત સક્રિય રહે છે. તેઓ પ્રતિબદ્ધ અને આદર્શ શિક્ષિકા તો છે જ, પણ સફળ માતા છે. પોતાના બે પુત્રોનો તેમણે સારી રીતે ઉછેર કર્યો છે. તેના માટે પૂરો અને ગુણવત્તાવાળો સમય આપ્યો છે.

વર્ષાબહેન અને મોહનભાઈએ પ્રારંભમાં સંઘર્ષનો વિકટ સમય હતો ત્યારે પણ પારિવારિક જવાબદારી અદા કરી છે. વર્ષાબહેન કહે છે કે ઓછી આવક હતી ત્યારે સંઘર્ષ કરવો પડતો હતો. અમે ક્યારેય અમારી જવાબદારીમાંથી પીછેહઠ કરી નથી. દરેક જવાબદારી તે અદા કરી છે એનો આનંદ અને સંતોષ છે.

તેઓ પોતાની આવકમાંથી સમાજને પણ આપતાં રહે છે. વર્ષાબહેન પરિવારના સભ્યોના જન્મદિવસે કેક કાપતાં નથી, જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને જન્મદિવસ ઊજવે. હવે તો તેમનાં બાળકો સામેથી આ રીતે-પ્રીતે જન્મદિવસ ઊજવવા આગ્રહ કરે છે. તેમના મોટા દીકરાનો જન્મદિવસ આવ્યો. છાત્રાલયમાં રહીને ભણતા દીકરાએ વર્ષાબહેનને ફોન કરીને કહ્યું 

 યોગ્ય રીતે ઉજવણી કરજો અને માતાપિતાએ તેના જન્મદિવસે પુસ્તકાલયમાં પુસ્તકો ભેટમાં આપ્યા.

વર્ષા બી. પટેલ

૪૧, ફ્લાવર સિટી રેસિડેન્સી, મું.પો, ખારવેલ, તા. ધરમપુર, જિ. વલસાડ, પિનકોડ- ૩૯૬૦૫૦ 

લેખ ક્રેડિટ : લેખક /પત્રકાર, રમેશ તન્ના  અમદાવાદ


Comments

Popular posts from this blog

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

                        Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ. તારીખ:૧૪-૦૪-૨ ૦૨૪નાં દિને બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ હતી. જેમાં નવસારી જિલ્લાનાં કલેકટરશ્રી (IAS) Ms.kshipra agre મેડમ સહિત સ્ટાફ મેમ્બરની ઉપસ્થિતિ રહી હતી. તેમણે ડૉ. બાબા સાહેબ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ` આજરોજ બંધારણના નિર્માતા ડૉ. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર હોલ, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી કરવામાં આવી. #SamrastaDin   @InfoNavsariGoG   pic.twitter.com/2y8mEQA3PE — Collector & DM Navsari (@CollectorNav)  April 14, 2024

Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

 Tapi news : કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ શિક્ષકદિન વિશેષ- તાપી જિલ્લો શિક્ષકો-ગુરુઓને લાખ લાખ વંદન કરે છે. કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ - શિક્ષકો આપણા આદર્શ સમાજના વાસ્તવિક શિલ્પકાર છે• -:જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહભાઈ વસાવા -શિક્ષક દિન નિમિત્તે  જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કરતા અતિથિ વિશેષ -કલમ, પુસ્તક અને શિક્ષક સમગ્ર વિશ્વને બદલવાની ક્ષમતા ધરાવે છે -શિક્ષક બાળકમાં શિસ્ત, ક્ષમા અને કરૂણાનું સિંચન કરે છે *માહિતી બ્યુરો,તાપી તા.૦૫* શિક્ષકો અને ગુરૂઓ વગર સમાજનું ઘડતર અને નિર્માણ અશક્ય છે. શિક્ષક આદર્શ સમાજના નિર્માણની પરિભાષા છે. શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કે.કે કદમ કન્યા વિદ્યાલય વ્યારા ખાતે ૫ સપટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો.  જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો...

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

  નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા...