Skip to main content

Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો.

 Khergam| Kanya shala: ખેરગામ કન્યા શાળામાં પ્રથમ સત્રના 5 દિવસ બેગલેસ ડે' તરીકે ઊજવવામાં આવ્યો. કન્યાશાળા ખેરગામ વર્ષ 2024-25 ના  પ્રથમસત્ર દરમિયાન "બેગ લેસ ડે' અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે  5 દિવસ બેગ લેસ ડે' તરીકે ઉજવવામાં આવ્યો. શાળાનાં બાળકોને સચોટ માહિતી સુલભ થાય એ  હેતુસર ખેરગામના બ્યુટીસિયન, રમતવીરો, અને પત્રકારશ્રીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં 6 થી 8 ના તમામ બાળકો અને આચાર્ય ભરતભાઈ  તથા શિક્ષકો ચાંદનીબેન,  હેમલતાબેન, ભારતીબેન સરસ્વતીબેન દ્વારા  પ્રવૃતિઓ ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ત્રણ પ્રવૃત્તિઓ શાળામાં કરવામાં આવી હતી  બ્યુટીસિયન તરીકે મોજીનાશેખ  ને શાળામાં બોલાવવામાં આવી જેના પરિણામ સ્વરૂપે કેસ ગુરુફન અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી, ત્યારબાદ રાખડી બનાવનારને શાળામાં બોલાવવામાં આવ્યા અને રાખડી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી આ ઉપરાંત  ગોલ્ડ મેડાલિસ્ટ રમતવીર બાબુભાઈ પટેલ મણીભાઈ પટેલ તેઓ પણ શાળામાં આવ્યા હતા જેમના દ્વારા રમતમાં ક્યાં ભાગ લઈ શકાય અને કઈ  બાબતની ધ્યાન રાખવું  જોઈએ રમત ની શરૂઆત કઈ રીતે કરી શ...

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

 નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ:

નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અંગે તથા તેના અલગ અલગ ફાયદાઓ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડૉ.અરુણકુમાર અગ્રવાલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ ચૌધરી પાસેથી જાણકારી મેળવી હતી. કાર્યક્રમનું સંચાલન સિનિયર લેક્ચરર ડૉ. મનિષ પટેલે કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજાયેલ ૨૧મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. ત્યારે ટેકનોલોજીના સથવારે શૈક્ષણિક આંક મેળવી તેના ઉપરથી વિવિધ તારણો કાઢવામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર મદદરૂપ સાબીત થશે. જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ઓનલાઈન હાજરી, મૂલ્‍યાંકન પરિણામો, વિહીકલ ટ્રેકિંગ સિસ્ટમ, ફિલ્‍ડ વિઝીટ વગેરે જેવી માહિતી રીઅલ-ટાઇમ ડેટા એકત્રિકરણમાં સિંહ ફાળો નોંધાવશે. *બોક્ષ-1* *જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રના હેતુઓ:* • ફિલ્ડ લેવલ સ્ટાફની પ્રવૃત્તિઓ તેમજ અન્‍ય પ્રોજેક્ટ્સ / યોજનાઓનાં પાયના સ્‍તરે અમલીકરણના મોનિટરીંગ માટે રાજ્ય સ્તરે કેન્દ્રીયકૃત મોનિટરિંગ મિકેનિઝમ વિક્સાવવું • શાળાકીય ઇકો-સિસ્ટમમાં તમામ સ્‍તરના ફરિયાદ નિવારણ માટે કેન્દ્રીયકૃત હેલ્પડેસ્ક ઉભું કરવું • શાળાઓના રીઅલ-ટાઇમ પરફોર્મન્સ સૂચકાંકો પૂરું પાડતું એક સેન્ટ્રલાઇઝ્ડ ડેશબોર્ડ વિકસાવવું *બોક્ષ-૨* *જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિશેષતાઓ અને લાભઃ* • શાળા શિક્ષણ પ્રણાલીના તમામ મુખ્ય ફિલ્‍ડ કક્ષાના સ્ટાફ / પ્રવૃત્તિઓના મોનિટરિંગ, ટ્રેકિંગ, પ્રતિભાવ મેળવવા અને સપોર્ટ પૂરો પાડવા માટે રાજ્ય કક્ષાનું કેન્દ્રીયકૃત મોનીટરીંગ મિકેનિઝમ • હાલમાં ઉપલબ્‍ધ વિવિધ એપ્લિકેશનના રીઅલ-ટાઇમ ડેટાના એકીકૃત ઉપયોગ માટે BI-Tool સાથેનું રીઅલ-ટાઇમ ડેશબોર્ડ • ફિલ્‍ડમાં તમામ સ્‍તરે કાર્યરત કર્મચારીઓ / અધિકારીઓમાં જવાબદારીપૂર્વકની કામગીરી અને શાળાકીય શિક્ષણના વિવિધ પ્રોજેક્ટ ઘટકો / પ્રવૃત્તિઓની રીઅલ-ટાઇમ સ્થિતિનું નિરીક્ષણ • વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શિક્ષકોની ફરિયાદો/ પ્રતિભાવ / સૂચનો અને તેમના સમયસર નિરાકરણ માટેનું પ્લેટફોર્મ • ફિલ્ડ લેવલ સ્ટાફ/હેડ માસ્ટર/શિક્ષકો/માતાપિતા વચ્ચે ન્યૂનતમ નિષ્ફળતા દર સાથે એલર્ટ સંદેશાઓ, સૂચનાઓ અને સમાચારોની ઝડપી ડિલિવરી • ભૌતિક અંતર / સીમાઓના પડકારોનો સામનો કરીને શાળાકીય શિક્ષણના તમામ મુખ્ય ફિલ્‍ડ લેવલ સ્ટાફનું મોનિટરિંગ, ટ્રેકિંગ કરવું, પ્રતિભાવ મેળવવા અને સપોર્ટ કરવો • શિક્ષણ ખાતાના વડા (HoD) દ્વારા પ્રાપ્ત થયેલ સમસ્યાઓનું ફોલોઅપ અને નિરાકરણ તેમજ સુધારાત્મક પગલાં • શાળાકીય શિક્ષણના તમામ ફિલ્‍ડ કર્મચારીઓમાં જવાબદારીપૂર્વકની કામગીરી માટેના અભિગમનું નિર્માણ • વિદ્યાર્થીઓ/ વાલીઓ/ શિક્ષકોની ફરિયાદો/ પ્રતિભાવ/ સૂચનો મેળવીને તેમના સુધી પહોંચવું • ફિલ્ડ લેવલ સ્ટાફ માટેની દરેક પ્રવૃત્તિઓનું અનુસરણ સુનિશ્ચિત કરવું • ફિલ્ડ લેવલ સ્ટાફ/હેડ માસ્ટર/શિક્ષકો/માતાપિતા વચ્ચે ન્યૂનતમ નિષ્ફળતા દર સાથે એલર્ટ સંદેશાઓ, સૂચનાઓ અને સમાચારોની ઝડપી ડિલિવરી • ટ્રેકિંગ અને મોનિટરિંગ ઉપયોગ માટે ડેશબોર્ડ • સમગ્ર શિક્ષાની અન્ય એપ્લિકેશનના ટ્રેકિંગ અને મોનિટરિંગ ઉપયોગ માટે ડેશબોર્ડ • સારી રીતે field-to-forum પરિણામો સુનિશ્ચિત કરવા માટે દરેક તાલીમના તાલીમાર્થીઓને સમયાંતરે ટિપ્સ • પેડાગોજીની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વર્ગખંડ શિક્ષણ પર સતત કાર્યક્ષમ ટીપ્સ મોકલીને શિક્ષકોને પ્રોત્સાહન, પ્રેરણા પૂરી પાડીને સહાયરૂપ થવું • આપત્તિ અથવા વહીવટી ફરજો જેવી કે વસ્તી ગણતરી અને ચૂંટણીમાં રોકાયેલ સ્ટાફને SMS સિસ્ટમ દ્વારા સૂચનાઓ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી પ્રતિબદ્ધતાને સાકાર કરવા શિક્ષણ જ સર્વાંગી વિકાસના પાયામાં સૌપ્રથમ છે ત્યારે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ શિક્ષણમાં કરવાનું આયોજન વર્તમાન સરકારનું છે. આધુનિક ટેક્નોલોજી દ્વારા બાળકોને માર્ગદર્શન અને શિક્ષણ આપવા માટે ફક્ત શાળામાં જ નહિં પરંતું અંગણવાડીના શિક્ષણને પણ આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. આ તમામ કામગીરીના સુયોગ્ય ડેટા એકત્રીત કરવા માટે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર મહત્વનું પાસું સાબિત થશે.

Comments

Popular posts from this blog

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

         Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશ...

Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા

                                           Bharuch|Amod: કોલવણાના શિક્ષક યાકુબ ઉઘરાતદારને જાયન્ટસ ગ્રુપ દ્વારા ગુજરાતશિક્ષક ગૌરવ સન્માનથી સન્માનિત કર્યા કોલવણા ગામ ના શિક્ષક ને જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી સન્માનિત કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.યાકુબભાઈ ઉઘરાતદાર શિક્ષણ ક્ષેત્રે અવનવુ કરવા માટે જાણીતા છે.તેમની શિક્ષણ પ્રત્યેની રૂચી,ઉત્સાહ અને કઈ કરી છૂટવાની ખેવનાની ગુજરાત ની અનેકઆ સંસ્થાઓએ નોંધ લીધી છે. આ તબક્કે ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન થી રાજ્યભરના પ્રતિભાશાળી સો જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોલવણા ગામના વતની અને શિક્ષણ સાથે જોડાયેલા યાકુબ ઉઘરાતદાર છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકેની સેવા બજાવે છે.તેઓ શિક્ષણ સહિત સામાજિક ક્ષેત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે.તેમની ઉમદા ભાવના અને કર્તવ્યનિષ્ઠા ની રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ નોંધ લીધી છે. અત્યાર સુધી ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વાર...

માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ

 માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ Post credit: દિવ્ય ભાસ્કર ન્યૂઝ   માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બબિતાબેન ગુમાન ભાઈ ચૌધરી મૂળ વતન વદેશિયાના જ રહેવાસી ગામની શિક્ષણની સેવા આપી તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, એસ એમ સી સભ્યો, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ તાલુકાના  શિક્ષકો, શિક્ષક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વદેશિયા ગામમાં આવેલી લાઈબ્રેરીને પુસ્તકો તેમજ કબાટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા તેમજ શાળાની અદ્યતન સુવિધા માટે ટીવી ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્મૃતિ સ્વરૂપે અરવિંદભાઈ ચૌધરી લેખિત ચૌધરી સમાજનું પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપ્યું હતું નિવૃત્તિ બાદ જીવન ખુબ તદુંરસ્ત વિતાવે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી.